થાઈલેન્ડમાં માર્ગ અકસ્માતમાં 11 લોકોના મોત થયા
થાઇલેન્ડમાં લૂનર ઈયરની રજા દરમિયાન માર્ગ અકસ્માતમાં બે બાળકો સહિત 11 લોકોનાં મોત થયા હતાં.જેમાં મોડી રાત્રે 12 લોકો વાનમાં વેકેશન ગાળવા માટે બેંગકોક જઇ રહ્યા હતા તે દરમિયાન સિખિયો જિલ્લામાં વાન આંચકાના કારણે પલટી ખાઇ ગઇ હતી અને આગ લાગી ગઇ હતી.ત્યારે વાનની બારીમાંથી બહાર નીકળી ગયો તેથી તે બચી ગયો.જ્યારે અન્ય તમામ લોકોના અંદર ફસાયેલા લોકોનું દાઝી જવાથી મોત થયા હતા.જેમા ઇમરજન્સી સેવાઓ સાથે ઘટનાસ્થળે દોડી આવેલી સ્થાનિક બચાવની ટીમે જણાવ્યું હતું કે આગ લાગ્યાની સેકન્ડો બાદ વાનમાં વિસ્ફોટ થયો હતો.ત્યારે 30 સેકન્ડમાં વાન બળીને ખાખ થઈ ગઈ હતી.જેમાં આગ લાગવાનું મુખ્ય કારણ વાન પલટી જવાને કારણે રસ્તા પર પડતું બળતણ હતું.જોકે હજુસુધી સમગ્ર અકસ્માત કેવી રીતે થયો તેની તપાસ કરવામાં આવી રહી છે.