મહારાષ્ટ્રમાં મંત્રીમંડળ વિસ્તરણમાં વિલંબ થયો
મુખ્યમંત્રી એકનાથ શિંદે અને દેવેન્દ્ર ફડણવીસે શપથગ્રહણ કર્યા તેને એક મહિનાથી વધુ સમય થઈ ગયો છે,પરંતુ હજુસુધી કેબિનેટ વિસ્તરણ થયુ નથી.ત્યારે તેને લઈને વિપક્ષ સરકાર પર નિશાન સાધવામાં આવી રહ્યુ છે.ત્યારે શિંદે અને ફડણવીસ કહી રહ્યા છે કે ટૂંકસમયમાં મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવશે.આ દરમિયાન વિસ્તરણની સંભવિત યાદી સામે આવી ગઇ છે.જેમાં ચંદ્રકાન્ત પાટિલ,સુધીર મુનગંટીવાર,ગિરીશ મહાજન,રવિન્દ્ર ચૌહાણ,રાધાકૃષ્ણ વિખે પાટિલ,પ્રવીણ દારેકર,તિતેશ રાણે,બબનરાવ લોણીકરને ભાજપના ક્વોટામાંથી મંત્રી બનાવવામાં આવે તેવી શક્યતાઓ છે,જ્યારે શિંદે સમૂહમાંથી શંભૂરાજે દેસાઈ,સંજય શિરસત,અબ્દુલ સત્તાર,સંદીપન ભૂમરે,ગુલાબરાવ પાટિલ,દાદા ભૂસે,ઉદય સામંત તેમજ દીપક કેસરકરના નામ સામે આવ્યા છે.