વર્તમાનમાં દિલ્લી એન.સી.આરમાં ભૂકંપના આંચકા આવ્યા

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

દિલ્હી એન.સી.આરમા બપોરે 2.30 વાગ્યા આસપાસ ભૂકંપના આંચકા અનુભવાયા હતા.જેમાં ઘણી જગ્યાએ લોકોએ ભૂકંપના ત્રણ આંચકા અનુભવ્યા હતા.જે આંચકાથી લોકો ઘર અને ઓફિસોમાંથી બહાર આવી ગયા હતા.આમ વિશ્વના વિવિધ વિસ્તારોમાં દર વર્ષે નાના-મોટા ધરતીકંપો થતા રહે છે.વિશ્વભરમાં દર વર્ષે 20 હજારથી વધુ વખત ભૂકંપ આવે છે.જેમાંના કેટલાક એટલા નાના છે કે તે સિસ્મોગ્રાફ પર પણ નોંધી શકાતા નથી.ત્યારે કેટલાક ધરતીકંપ એટલા શક્તિશાળી હોય છે કે તે ભયંકર વિનાશનું કારણ બનતા હોય છે.આમ ધરતીની અંદરની ઉથલપાથલને ભૂકંપનું કારણ માનવામાં આવે છે.આ ધરતીકંપ લાખોની સંખ્યામાં આવે છે,પરંતુ મોટાભાગના આંચકા હળવા હોય છે અને તે ઓળખાતા પણ નથી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.