દેશના અન્ય રાજ્યોમાંથી ઉત્તરાખંડ પહોંચવુ સરળ થશે
ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ કહ્યું છે કે દહેરાદૂન-દિલ્હી એક્સપ્રેસ-વેનું કામ આગામી માર્ચ 2024 સુધીમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે,પરંતુ તેને જાન્યુઆરી 2024 સુધીમાં પૂર્ણ કરવાનો પ્રયાસ કરીશું.આ માટે ઉત્તરાખંડ બોર્ડર પર રાત્રે પણ કામ કરવાની પરવાનગી આપવામાં આવી છે.જે અંગે યુપી મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને યુપી બોર્ડરમાં રાત્રે કામ કરવાની પરવાનગી માટે વિનંતી કરવામાં આવશે આ સિવાય કામની ગુણવત્તામાં કોઈ બાંધછોડ કરવામાં આવશે નહી.જે પ્રોજેક્ટ હેઠળ ડાટકાલી ખાતે 340 મીટરની ટનલ બનાવવામાં આવી હતી.ઉત્તરાખંડમાં પીએમ મોદીના નેતૃત્વમાં માર્ગ નિર્માણ વધી રહ્યુ છે.