દેશમાં જાન્યુઆરીથી કોરોનાની ત્રીજી લહેરની શક્યતાઓ
કોરોનાના નવા ઓમિક્રોન વેરિએન્ટના કારણે ભારત દુનિયાના બીજા દેશોની જેમ ચિંતામાં છે. ત્યારે આઈઆઈટી કાનપુરના સંશોધકોએ દાવો કર્યો છે કે દેશમાં જાન્યુઆરી મહિનાથી કોરોનાની ત્રીજી લહેર શરૂ થવાની શક્યતા છે. જેમાં સંશોધકોએ એમ કહ્યુ છે કે આ લહેર શરૂ થયા બાદ ફેબ્રુઆરી સુધીમાં દેશમાં રોજ કોરોનાના દોઢ લાખ કેસ સામે આવી શકે છે. દેશના 6 રાજ્યોમાં કોરોનાના કેસ બમણા થઈ ગયા છે અને કેન્દ્ર સરકારે આ રાજ્યોને સતર્ક રહેવા માટે કહ્યુ છે. ત્રીજી લહેર માટે વિદેશથી આવતા મુસાફરો જવાબદાર થઈ શકે છે. આમ જે 6 રાજ્યોને સરકારે સતર્ક રહેવા કહ્યુ છે તેમાં કર્ણાટક,તામિલનાડુ,કેરલ,ઓરિસ્સા,મિઝોરમ અને જમ્મુ કાશ્મીરનો સમાવેશ થાય છે.