દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના કેસ 9 હજારને પાર થયા

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 9,355 નવા કેસ નોંધાયા છે.આ ઉપરાંત 26 નવા મૃત્યુ બાદ દેશમાં કોવિડને કારણે જીવ ગુમાવનારા લોકોની સંખ્યા વધીને 5,31,424 થઈ ગઈ છે.આ સિવાય દેશમાં ગઈકાલે કોરોનાના 9,629 કેસ નોંધાયા હતા આ સાથે કોરોનાથી 29 લોકોના મોત થયા હતા.જે મોતમાં કેરળના જ 10 દર્દીઓ સામેલ હતા.બીજીતરફ રાજધાની દિલ્હીમાં અત્યારસુધીમાં કુલ કોરોના કેસની સંખ્યા વધીને 20,36,196 થઈ ગઈ છે.જેમાં આગલા દિવસે 1040 નવા કેસ નોંધાયા હતા.રાજસ્થાનમાં કોરોના વાયરસના કારણે વધુ 3 લોકોના મોત થયા છે.આ ઉપરાંત એક દિવસમાં કોવિડ-19ના 498 નવા કેસ નોંધાયા છે


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.