સરકાર આગામી 4 સપ્તાહની અંદર ક્રીમીલેયરની મર્યાદા વધારશે
કેન્દ્રની મોદી સરકાર ઓબીસી અનામત વધારવાનો નિર્ણય લઈ શકે છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને જણાવ્યુ હતું કે તે ક્રીમીલેયરની લિમિટ વધારવાની છે. વર્તમાનમાં ક્રીમીલેયરની મર્યાદા 8 લાખની છે. પરંતુ સરકાર તેને વધારવાની છે જે અંગે સરકાર આગામી 4 સપ્તાહની અંદર મહત્વનો નિર્ણય લઈ શકે છે. જે બાબતે કેન્દ્રએ કોર્ટને જણાવ્યુ છે કે તે આર્થિક રીતે નબળા વર્ગવાળા ક્રાઈટેરિયાને બદલવા જઈ રહી છે. અત્યારસુધી જે ઉમેદવારના પરિવારની વાર્ષિક આવક 8 લાખ કરતા ઓછી હતી તેમને ઇ.ડબલ્યુ.એસમાં રાખવામાં આવતા હતા. પરંતુ હવે તેમાં પરિવર્તન થશે. સરકાર 8 લાખવાળી લિમિટ વધારવા જઈ રહી છે. જેના કારણે એક મોટા વર્ગને ફાયદો થશે. જેમાં કેટલાક લોકો 10 લાખના ક્રાઈટેરિયાને લાગુ કરાવવા ઈચ્છે છે તો કેટલાક લોકો 12 લાખ સુધીની માંગણી કરી રહ્યા છે.