બ્રાઝિલે ભારતની બાયોટેક સાથેની ડીલ રદ કરી
ભારતની કોવેક્સીન માટે ભારત બાયોટેક કંપની સાથે બ્રાઝિલે પોતાનો કરાર તોડી નાંખ્યો છે.બ્રાઝિલે બે કરોડ ડોઝ ખરીદવા માટે ડીલ કરી હતી.જોકે ક્લિનિકલ ટ્રાયલમાં કોવેક્સીનનુ પરીક્ષણ સફળ રહ્યુ નથી તેવો બ્રાઝિલે દાવો કરીને આ નિર્ણય લીધો છે.જેમાં બ્રાઝિલની સરકારે કહ્યુ હતુ કે બ્રાઝિલની દવા નિર્માતા કંપની પ્રેસીસા મેડિકામેન્ટોસ અને એનવિક્સિયા ફાર્મા સાથે ભારત બાયોટેકની ડીલ થઈ હતી.જેમાં સંખ્યાબંધ મુદ્દાઓ પર સંમતિ સધાઈ નથી અને ક્લિનિકલ ટ્રાયલમાં પણ તેના સફળ પરિણામ જોવા મળ્યા નથી અને તેના કારણે આ ડીલ રદ કરવાનો નિર્ણય લેવાયો છે.આ સિવાય ભારત બાયોટેક કંપનીએ કહ્યુ હતુ કે કંપનીને બ્રાઝિલ તરફથી કોઈ એડવાન્સ પેમેન્ટ આપવામાં આવ્યુ નહોતુ અને કંપની દ્વારા બ્રાઝિલને કોઈ રસી પૂરી પાડવામાં જ આવી નથી કંપનીએ બ્રાઝિલ સાથે ગ્લોબલ ડિલ પ્રમાણે અને આંતરરાષ્ટ્રિય કાયદા પ્રમાણે કરાર કર્યો હતો અને દુનિયાના બીજા દેશોમાં કોવેક્સીન પૂરી પાડવા માટે જે નિયમોનુ પાલન કર્યુ હતુ તે નિયમોનુ પાલન બ્રાઝિલમાં પણ કરવામાં આવ્યુ હતુ.