UPમાં ભાજપના ઉમેદવારો જાહેર, 21 નવા ચહેરાઓને તક

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

ભાજપે શનિવારે પ્રથમ અને બીજા તબક્કાના ઉમેદવારોની યાદી જાહેર કરી છે. યોગી આદિત્યનાથ ગોરખપુર શહેરથી અને કેશવ પ્રસાદ મૌર્ય સિરાથુથી ઉમેદવાર રેહશે. પહેલા એવું કહેવામાં આવી રહ્યું હતું કે યોગી અયોધ્યાથી ચૂંટણી લડશે, પરંતુ છેલ્લી ઘડીએ પાર્ટીએ તેમને ગોરખપુરથી ઉમેદવાર બનાવ્યા છે. બેબીરાની મૌર્ય આગ્રા ગ્રામીણથી ચૂંટણી લડશે. અગાઉ તે ઉત્તરાખંડના રાજ્યપાલ હતા. પ્રથમ તબક્કામાં 57 અને બીજા તબક્કામાં 48 બેઠકો પર નામ નક્કી કરવામાં આવ્યા છે. 21 નવા ચહેરાઓને નોમિનેટ કરવામાં આવ્યા છે.

107 સીટોમાંથી 44 ઓબીસી, 19 એસસી અને 10 મહિલાઓ માટે નોમિનેટ કરવામાં આવી છે. આ તબક્કામાં યોગી અને મૌર્યના નામ સામેલ નથી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.