બિહારના મુખ્યમંત્રી નીતીશકુમારે રાજીનામુ આપ્યુ
બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે રાજ્યપાલને પોતાનું રાજીનામું સોંપી દીધું છે.આમ એન.ડી.એથી અલગ થયા બાદ નીતીશ કુમારે મહાગઠબંધન સાથે સરકાર બનાવવાનો નિર્ણય કર્યો છે.આ નિર્ણય બાદ તેઓ રાજ્યપાલને રાજીનામું સોપવા માટે રાજભવન ખાતે પહોંચ્યા હતા.જે અંગે પાર્ટીના ધારાસભ્યયો અને સાંસદોની બેઠક બાદ જેડીયુએ એનડીએથી અલગ થવાનો નિર્ણય કર્યો હતો.આ સાથે તેમણે 160 ધારાસભ્યો સાથે નવી સરકાર બનાવવાનો દાવો કર્યો છે.ત્યારે તેઓ મહાગઠબંધન સાથે બિહારમાં નવી સરકાર બનાવા જઈ રહ્યા છે.