આગામી સમયમાં ભારતીય સુપ્રીમકોર્ટ પ્રથમવાર સ્થાપના દિવસ ઉજવશે
ભારતીય ન્યાયપાલિકાના ઈતિહાસમાં પ્રથમવાર સુપ્રીમકોર્ટે આગામી 4 ફેબ્રુઆરીએ તેનો સ્થાપના દિવસ મનાવવાની તૈયારી કરી રહ્યો છે.જેમાં 73માં સ્થાપના દિવસથી નવી પરંપરાની શરૂઆત કરવામાં આવશે.જેમાં સિંગાપોર સુપ્રીમકોર્ટના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ સુંદરેશ મેનન સમારોહના મુખ્ય અતિથિ બનશે.સુપ્રીમકોર્ટના સ્થાપના દિવસ પર આયોજિત સમારોહમાં બદલાતી દુનિયામાં ન્યાયપાલિકાની ભૂમિકા વિષય પર લેક્ચર આયોજિત કરાશે.આમ 26 જાન્યુઆરી 1950ના રોજ ભારત એક સંપ્રભુ લોકતાંત્રિક ગણરાજ્ય બન્યાના બે દિવસ બાદ 28 જાન્યુઆરી 1950ના રોજ સુપ્રીમકોર્ટ અસ્તિત્વમાં આવી હતી.સુપ્રીમકોર્ટને બંધારણના ભાગ 5 અધ્યાય 4 હેઠળ સ્થાપિત કરાઈ હતી.જેમાં સીજેઆઈ ચંદ્રચૂડે આ સ્થાપના દિવસની પરંપરા શરૂ કરી છે.