મહારાષ્ટ્રમાં સરકાર બન્યા બાદ કેબિનેટની તૈયારીઑ કરવામાં આવી
મહારાષ્ટ્રમાં એકનાથ શિંદેની સરકારમાં કેબિનેટનું વિસ્તરણ 5 ઓગસ્ટે થવાની શક્યતાઓ છે.આમ આ અઠવાડિયે કેબિનેટનું વિસ્તરણ કરવામાં આવશે.ત્યારે મહારાષ્ટ્રમા વરિષ્ઠ ધારાસભ્યો શપથ લઈ શકે છે.જેમાં ભાજપ અને શિંદે જૂથના 7-7 ધારાસભ્યો મંત્રીઓની શપથ લઈ શકે છે.ત્યારે ભાજપમાંથી ચંદ્રકાંત પાટીલ,સુધીર મુનગંટીવાર,ગિરીશ મહાજન,પ્રવીણ દરેકર,રાધાકૃષ્ણ વિખે પાટીલ,ગણેશ નાઈક અને રવિન્દ્ર ચવ્હાણ મંત્રી તરીકે શપથ લઈ શકે છે.બીજીતરફ શિંદે કેમ્પમાંથી દાદા ભૂસે,ઉદય સામંત,ગુલાબરાવ પાટીલ,શંભુરાજે દેસાઈ,સંદીપન ભુમરે,સંજય શિરસાઠ, અબ્દુલ સત્તાર અને બચ્ચુ કડુ મંત્રી પદના શપથ લઈ શકે છે.મહારાષ્ટ્રમાં વિધાન પરિષદની ચૂંટણીના પરિણામો બાદ શિવસેનાના ધારાસભ્યોએ બળવો કર્યો હતો.એકનાથ શિંદેને શિવસેનાના 40 ધારાસભ્યો અને 10 અપક્ષોનું સમર્થન મળ્યું છે. શિંદેએ ભાજપના સમર્થનથી મુખ્યમંત્રી પદના શપથ લીધા છે અને આ સાથે દેવેન્દ્ર ફડણવીસ ડેપ્યુટી સીએમ બની ગયા છે.