MP બાદ હવે UPમાં પણ નાઈટ કર્ફયૂ

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

મધ્યપ્રદેશ બાદ હવે ઉત્તરપ્રદેશમાં પણ નાઈટ કર્ફયૂ લગાવવામાં આવ્યો છે. રાજ્યમાં ઓમિક્રોનની સંભવિત લહેરને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. UP સરકારનો આ નિર્ણય 25 ડિસેમ્બરથી લાગું થશે. બાબતે નવી ગાઈડલાઈન પણ જાહેર કરવામાં આવી છે. જા મુજબ લગ્નમાં વધુમાં વધુ 200 લોકો જ સામેલ થઈ શકશે. લોકો 25 ડિસેમ્બરની રાત્રે 11 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી ઘરની બહાર નીકળી શકશે નહીં. આ આદેશ બાદ ક્રિસમસ અને નવા વર્ષની ઉજવણીની તૈયારીઓને મોટો ઝટકો લાગ્યો છે.

જ્યારે કોરોનાના કેસ ઓછા થયા હતા ત્યારે 4 મહિના પહેલા જ UPમાંથી નાઇટ કર્ફ્યુ હટાવી દેવામાં આવ્યો હતો. અહીં કોરોનાના કુલ સક્રિય કેસોની સંખ્યા 236થી વધુ છે. દેશના કોઈપણ રાજ્યમાંથી કે વિદેશમાંથી UPમાં આવનાર દરેક વ્યક્તિનું ટ્રેસિંગ-ટેસ્ટિંગ કરવામાં આવશે. બસ, રેલ્વે અને એરપોર્ટ પર વધારાની તકેદારી રાખવામાં આવશે.

દેશમાં ઓમિક્રોનના 360 કેસ નોંધાયા
મહારાષ્ટ્ર 88,
દિલ્હી 67,
તમિલનાડુ 34,
તેલંગાણા 38
કેરળ 29,
ગુજરાત 30,
રાજસ્થાન 22,
કર્ણાટક 31,
હરિયાણા-ઓડિશા 4,
જમ્મુ-કાશ્મીર અને પશ્ચિમ બંગાળ 3-3,
આંધ્રપ્રદેશ અને ઉત્તર પ્રદેશ 2-2,
ચંદીગઢ, લદ્દાખ અને ઉતરાખંડ 1-1 કેસ


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.