ચાર્જશીટના આધાર પર ફ્રેમ કરાશે ચાર્જતિસ્તા સેતલવાડ સહિતના આરોપીઓએ ગુજરાતને બદનામ કરવા ઘડેલો કારસો
ગુજરાતને ઘમરોળનારા ગોધરા કાંડ અને બાદમાં થયેલા કોમી રમખાણોના કેસમાં રાજ્યના ઉચ્ચ અધિકારીઓને ફસાવવા માટે બનાવટી દસ્તાવેજો તૈયાર કરવાના આરોપસર તિસ્તા સેતલવાડની ધરપકડ કરવામાં આવી હતી. આ કેસમાં અંતે તેમના વચગાળાના જામીન મંજૂર કરવામાં આવ્યા હતા. જોકે, આ અંગે અંતિમ ચુકાદો ગુજરાત હાઈકોર્ટે જ કરવાનો રહેશે.
તિસ્તા સેતલવાડ સામે કોર્ટમાં 7,000 પાનાની ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. તિસ્તા સેતલવાડે ગુજરાતને બદનામ કરવાનો કારસો ઘડ્યો હતો. SITની ચાર્જશીટમાં આ મામલે વધુ ખુલાસા થયા છે. આ મામલે 7 વ્યક્તિઓના કલમ 164 કલમ અંતર્ગત નિવેદન લેવામાં આવ્યા છે. આ કેસમાં મુખ્ય આરોપીના રૂપમાં તિસ્તા સેતલવાડનો સમાવેશ કરવામાં આવ્યો છે. તિસ્તા સેતલવાડ ઉપરાંત IPS શ્રી કુમાર અને સંજીવ કુમારનો આરોપીઓ તરીકે સમાવેશ કરવામાં આવ્યો છે. તે સિવાય પૂર્વ IPS રાહુલ શર્માને સાક્ષી બનાવવામાં આવ્યા છે. આ મામલે કોર્ટમાં આગામી સપ્તાહે ચાર્જશીટના આધાર પર ચાર્જ ફ્રેમ કરવામાં આવશે. તેમાં સંજીવ ભટ્ટ અને રાહુલ શર્મા વચ્ચેના મેઈલ પુરાવા તરીકે રજૂ કરવામાં આવેલા છે.