નવા વર્ષ પહેલા સામાન્ય માણસને મોટી રાહત, કાપડ પર 5 ટકા યથાવત રહેશે GST
આજે દેશની રાજધાની દિલ્હીમાં નાણામંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં GST કાઉન્સિલની 46મી બેઠક યોજવામાં આવી હતી . જેમાં બેઠકમાં સસ્તા કપડા પર જીએસટી દર 5 ટકાથી વધારીને 12 ટકા કરવા પરનો નિર્ણય યથાવત રાખવામા આવ્યો છે જેનાથી સામાન્ય માણસને મોટી રાહત મળશે. એટ્લે કે હવે નવા વર્ષમાં હવે રેડીમેડ કપડા મોંઘા નહીં થાય.
હિમાચલ પ્રદેશના ઉદ્યોગ મંત્રી બિક્રમ સિંહનું કહેવું છે કે કાપડ પર જીએસટી વધારવાનો નિર્ણય મોકૂફ રાખવામાં આવ્યો છે. GST કાઉન્સિલની આગામી બેઠક ફેબ્રુઆરી 2022માં યોજાશે.બેઠકમાં તમિલનાડુના નાણાપ્રધાને કહ્યું કે આ સમયે કાપડ પર જીએસટી દર વધારવાના પ્રસ્તાવને લાગુ કરવો યોગ્ય નથી. કારણ કે કોરોના મહામારી હજુ પણ ચાલી રહી છે.
કાપડ ઉદ્યોગ હજુ પણ સંકટમાંથી બહાર આવ્યો નથી. આપનેજણાવી દઈએ કે GST એટલે કે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ પરના તમામ નિર્ણયો GST કાઉન્સિલ દ્વારા લેવામાં આવે છે. આ બેઠકની અધ્યક્ષતા કેન્દ્રીય નાણામંત્રી કરી રહ્યા છે. તેમજ રાજ્યોના નાણામંત્રીઓ પણ તેમાં ભાગ લે છે.