આગામી 30 સપ્ટેમ્બરે પશ્ચિમ બંગાળમાં પેટાચૂંટણી યોજાશે
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી માટે વિધાનસભામાં પહોંચવાનો રસ્તો સાફ થઈ ગયો છે. ચૂંટણી પંચે પશ્ચિમ બંગાળની ખાલી પડેલી ત્રણ વિધાનસભા બેઠકો પર ચૂંટણી યોજવા માટેની લીલીઝંડી આપી દિધી છે. જે સપ્ટેમ્બરમા યોજાશે. જેમા બંગાળમાં ભવાનીપુર,શમશેરગંજ અને જંગીપુર બેઠકો પર પેટાચૂંટણી યોજવામાં આવશે. આ બેઠકો પર આજથી આચારસંહિતા લાગુ થઈ ચુકી છે. આમ વર્તમાન સમયમા અલગ-અલગ રાજ્યોમાં 31 વિધાનસભા બેઠકો અને 2 લોકસભા બેઠકો ખાલી છે. આ તમામ બેઠકો પર પેટાચૂંટણી બાકી છે. જે બેઠકો પર આગામી 13 સપ્ટેમ્બર સુધી ઉમેદવારીપત્રો ભરી શકાશે. જ્યારે 30 સપ્ટેમ્બરે ચૂંટણી અને 2 ઓક્ટોબરે મતગણતરી હાથ ધરવામાં આવશે.