મુંબઇના રસીકરણ કેન્દ્રો પર આજે 2જો ડોઝ આપવામાં આવશે

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

મુંબઇગરા કોરોનાનો પ્રકોપ ફરીથી વધે નહી તેના માટે દરેકે રસીના બંને ડોઝ લેવા જરૂરી છે. જેને ધ્યાનમાં રાખીને મુંબઇના બધા જ સરકારી તેમજ મહાનગરપાલિકાના રસીકરણ કેન્દ્રો પર 9મી સપ્ટેમ્બર 2021ના રોજ કોરોના રસીનો બીજો ડોઝ લેવાનો બાકી હોય તે લાભાર્થીઓ માટે વિશેષ સત્રનુ આયોજન કર્યું છે. જેમાં સરકારના બ્રેક ધ ચેન આદેશોની સુધારિત માગદર્શક સુચનાઓ અનુસાર બંને ડોઝ લીધેલા લોકોને રેલવેમાં પ્રવાસ કરવાની છૂટ મળી છે. તેમજ કેટલીક ખાનગી ઓફિસોમાં પૂર્ણ રસીકરણ થયેલા કર્મચારીઓને ઉપસ્થિત રહેવાની પરવાનગી આપવામાં આવી છે. આ વાતને આધારે બીજો ડોઝ બાકી હોય તેવા નાગરિકોને ડોઝની ઉપલબ્ધતા મુજબ વિશેષ રસીકરણ સત્ર 4થી સપ્ટેમ્બર 2021ના રોજ રાખવામાં આવ્યું હતું. જેમાં નાગરિકોનો ઉત્તમ પ્રતિસાદ જોવા મળ્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.