દુર્ઘટના : તહેરાન એરપોર્ટથી ઉડાન ભર્યાના 3 મિનિટ પછી જ બોઈંગ 737 પ્લેન ક્રેશ, વિમાનમાં મુસાફરી કરતા દરેક 170ના મોત

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

ઈરાનના તેહરાન પાસે આવેલા ઈમામ ખોમેની એરપોર્ટ પર એક બોઈંગ ૭૩૭ વિમાન ક્રેશ થઈ ગયું છે. ઈરાનની ફોર્સ ન્યૂઝ એજન્સીના જણાવ્યા પ્રમાણે, આ પ્લેન યુક્રેનનું હતું. ટેક્નીકલ ખામીના કારણે ટેક ઓફ થયા પછી તુરંત જ આ પ્લેન ક્રેશ થઈ ગયુ હતું. તેમાં મુસાફરી કરતાં દરેક ૧૭૦ લોકોના મોત થયા હોવાનું જાણવા મળ્યું છે. ફ્લાઈટ રડાર ૨૪ વેબસાઈટે એરપોર્ટના ડેટાના આધાર પર જણાવ્યું કે, યુક્રેનના બોઈંગ ૭૩૭-૮૦૦ વિમાને સ્થાનિક સમય પ્રમાણે સવારે ૫.૧૫ વાગે ઉડાન ભરવાની હતી. જોકે તે ૬.૧૨ વાગે રવાના થયું હતું. ઉડાન ભર્યાને થોડી જ વારમાં ફ્લાઈટે ડેટા મોકલવાનું બંધ કરી દીધું હતું. એરલાઈન્સે હજુ આ મામલે કોઈ નિવેદન જાહેર કર્યું નથી. બોઈંગ ૭૩૭ વિમાનો માટે ૨૦૧૮ અને ૨૦૧૯ ખરાબ વર્ષ રહ્યું. ગયા વર્ષે માર્ચમાં બોઈંગ ૭૩૭ મોડલનું જ એક વિમાન ટેકઓફ થયાની ૬ મિનિટ પછી જ ક્રેશ થઈ ગયું હતું. તેમાં ૧૫૭ મુસાફરોના મોત થયા હતા. જ્યારે ૨૦૧૮માં ઈન્ડોનેશિયાના જકાર્તામાં લોયન એરલાઈન્સનું બોઈંગ ૭૩૭ ઉડાન ભર્યા પછી ક્રેશ થઈ ગયું હતું. તેમાં ૧૧૨ મુસાફરોના મોત થયા હતા.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.