કોરોના સંકટ વચ્ચે ભારતને મળશે ૭૫૦૦ ડાલરનું પેકેજઃ વિશ્વ બેંક
વાશિંગ્ટન : કોરોના સંકટની વચ્ચે ભારતને વર્લ્ડ બેન્કે મોટી રાહત આપી છે. સરકારના કાર્યક્રમો માટે વર્લ્ડ બેન્કે એક અબજ ડોલરના પેકેજની જાહેરાત કરી છે. આ પેકેજ સામાજિક સુરક્ષા પેકેજ હશે. આની પહેલાં કોરોના સામે જંગ માટે ભારતને બ્રિકસ દેશોની ન્યૂ ડેવલપમેન્ટ બેન્કએ એક અબજ ડોલરની ઇમરજન્સી સહાયતા ફંડ આપવાની જાહેરાત કરી હતી. વિશ્વ બેન્કના એક અબજ ડોલર (અંદાજે ૭૬૦૦ કરોડ) સામાજિક સુરક્ષા પેકેજનો ઉપયોગ દેશમાં કોરોનાના દર્દીઓની શ્રેષ્ઠ તપાસ, કોવિડ-૧૯ હોÂસ્પટલ અને લેબ બનાવામાં કરી શકાય છે.
Tags national