આત્મનિર્ભર ભારતનો અર્થ એ નથી કે આયાત બંધ કરી દઈશું : સીતારમણ
ન્યુ દિલ્હી : દેશ કોરોના સંકટનો સામનો કરી રહ્યો છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મોટા પાયે આત્મનિર્ભર અભિયાન ની શરૂઆત કરી છે. સરકારે લોકડાઉનના કારણે મંદ પડેલ અર્થતંત્રને વેગ આપવા માટે સ્પેશીયલ પેકેજની પણ જાહેરાત કરી છે ત્યારે આત્મનિર્ભર ભારત અભિયાનના કારણે આયાત મુદ્દે ઘણી આશંકાઓ સેવાઈ રહી છે ત્યારે ફિક્કીના પ્રતિનિધિઓ સાથેની એક બેઠકમાં નાણામંત્રીએ મોટું નિવેદન આપ્યું છે. દેશના નાણામંત્રી નિર્મલા સીતારમણે ફિક્કીના અધિકારીઓ સાથેની બેઠકમાં કÌšં કે ‘આત્મનિર્ભર ભારતનો અર્થ એ નથી કે અમે આયાત પર અંકુશ લગાવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અભિયાનનો અર્થ છે આપણી તાકાત પાછી મેળવવી અને નવી તાકાતનું નિર્માણ પણ કરવું. દેશ આત્મનિર્ભર બનવા જઈ રહ્યો છે ત્યારે વેપારીઓના મનમાં આયાતને લઇને ઘણી આશંકાઓ છે. ત્યારે આ આશંકાઓને દૂર કરવા માટે નાણામંત્રીનું આ નિવેદન મહત્વનું કહી શકાય.