
વિસનગર માર્કેટયાર્ડમાં આગામી 26 માર્ચથી 2 એપ્રિલ સુધી હરાજીનું કામકાજ બંધ રહેશે
વિસનગર માર્કેટયાર્ડ માર્ચ એન્ડીગમાં હિસાબોના કામકાજને લઇ આગામી 26 માર્ચથી 2 એપ્રિલ સુધી બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.જેઆમ વિસનગરમાં દર વર્ષે માર્ચ મહિનામાં એન્ડીગમાં હિસાબોને કામકાજઅર્થે માર્કેટયાર્ડ બંધ રહે છે. ત્યારે આ વર્ષે પણ માર્ચ એન્ડીગમાં હિસાબોના કામકાજ માટે આગામી 25 માર્ચ સુધી જ હરાજીનું કામકાજ ચાલુ રહેશે,ત્યારબાદ 2 એપ્રિલ સુધી બંધ રહેશે.જ્યારે 3 એપ્રિલથી હરાજીનું કામકાજ રાબેતા મુજબ ચાલુ રહેશે.