ઊંઝાના યુવાનનો ગળેફાંસો ખાઈ આપઘાત : એક ઇસમ સામે ફરિયાદ

મહેસાણા
મહેસાણા

રખેવાળ ન્યૂઝ, ઊંઝા

મૃતક પાસેથી મળેલ સ્યુસાઈડ નોટ મળી
ઊંઝા શહેરમાં આવેલ રામનગર રેસીડેન્સી માં રહેતા યુવાને ડાભીના ઈસમ પાસે રૂ બે લાખ માંગતો હતો. જે નાણાં પરત ના આપતા યુવાને તેના ઘરે ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું હતું. મૃતક યુવાન પાસેથી એક સ્યુસાઈડ નોટ મળી આવી હતી. જેમાં સુરેશભાઈ ડાભીનાઓ રૂપિયા બે લાખ આપતા ના હોઈ આપઘાત કરું છું તેમ જણાવતા પોલીસે એક ઈસમ સામે દુસ્પેરણનો ગુનો દાખલ કર્યો છે.મળતી વિગતો અનુસાર, ઊંઝા શહેરમાં આવેલ રામનગર રેસીડેન્સી માં રહેતા કિસનભાઈ દિનેશભાઇ પટેલ પોતાના ઘરે હતા.

તે દરમિયાન તેમના કાકાના દીકરા મેહુલનો દીકરો આવી કહેલ કે મારા પિતાજી અંદરના રૂમમાં સુતા હતા. જે દરવાજાે ખોલતા નથી જેથી ઘરે જઈ તપાસ કરતા અંદરનો દરવાજાે ખોલતા કોઈ જવાબના મળતાં દરવાજાે તોડતા મેહુલ ગળેફાંસો ખાધેલ હાલતમાં જાેવા મળ્યો હતો. મૃતક પાસેથી એક સ્યુસાઇડ નોટ મળી આવી હતી. જેમાં સુરેશભાઈ ડાભી રૂપિયા બે લાખ આપતા ના હોઈ તેઓના ત્રાસથી ગળેફાંસો ખાઈ આપઘાત કરતા પોલીસે સુરેશભાઈ ડાભી સામે દુસ્પેરણનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.