મહેસાણામાં આજથી રોશનીના ઝગમગાટ સાથે જામશે શેરી ગરબા
મહેસાણા શહેરમાં આદ્યશક્તિની આરાધનાના મહાપર્વ નવરાત્રી મહોત્સવ ગુરુવારથી શરૂ થશે. ગત વર્ષે કોરોનાના કારણે માત્ર માતાજીની આરતી પૂરતો નવરાત્રી મહોત્સવ સીમિત રહ્યો હતો, જે આ વર્ષે કોરોના હળવો થતાં મળેલી છૂટછાટમાં સોસાયટીઓ અને મહોલ્લામાં કાળજી સાથે ગરબા મહોત્સવના આયોજન કરાયાં છે. આ પહેલાં બુધવારે ચાચરચોક રંગબેરંગી રોશનીથી શણગારાયા હતા. ગુરુવાર સાંજે 4 થી 5માં સોસાયટીઓ કોમનપ્લોટમાં માતાજીનું વાજતે ગાજતે સ્થાપન કરશે.
રાત્રે 9 વાગે આરતી બાદ ગરબા શરૂ કરશે અને સરકારની ગાઇડ લાઇન મુજબ રાત્રે 12 વાગે સમાપન કરશે. શહેરમાં 28 જેટલી સોસાયટી, મહોલ્લાએ લાઉડ સ્પીકર સાથે ગરબા મહોત્સવની મહેસાણા મામતલદાર કચેરીએ પરવાનગી લીધી છે.
ગત વર્ષે કોરોનાના કારણે માત્ર નવરાત્રી માતાજીની આરતી કરીને સમાપન કરાઇ હતી, આ વખતે ડીજે ઉપર ગરબા રમાશે.