મહેસાણામાં રાજ્યકક્ષા પુરવઠામંત્રી શ્રમિક અન્નપૂર્ણા યોજના ભોજન કેન્દ્રનો પ્રારંભ કરાવશે
મહેસાણા જિલ્લામાં આગામી 30 જાન્યુઆરીના રોજ રાજ્યકક્ષાના પુરવઠામંત્રીની ઉપસ્થિતિમાં પરા ટાવર કડીયાનાકા ખાતે શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો પુન પ્રારંભ કરાવશે.આ સાથે જિલ્લામાં અન્ય 5 શ્રમિક અન્નપુર્ણા યોજના ભોજન કેન્દ્રનો પ્રારંભ થશે.આ સિવાય રાજ્યના મકાન અને અન્ય બાંધકામ શ્રમિકો માટે શ્રમ અને કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ દ્વારા રાજ્યમાં 99થી વધુ કડીયાનાકા પર શ્રમિક અન્નપુર્ણા યોજનાથી ભોજન પૂરૂ પાડવામાં આવશે.આ સિવાય રાજ્યમાં 4 લાખ કરતા વધુ શ્રમિકોને અન્નપુર્ણા યોજનાથી આવરી લેવાયા છે તેમજ 1.18 કરોડ ભોજન વિતરણ થયુ છે.શ્રમિક અન્નપુર્ણા યોજનાનો લાભ લેવા માટે બાંધકામ શ્રમિકે પોતાનું ઇ-નિર્માણ કાર્ડ લઇ શ્રમિક અન્નપુર્ણા યોજનાના ભોજન વિતરણ કેન્દ્ર પર રૂ.5માં ટોકનથી ટીફીનમાં અથવા જમવા માટે ભોજન આપવામાં આવે છે.શ્રમિકોને ઇ-નિર્માણ કાર્ડ મારફતે પરિવાર માટે એક સમયનું ભોજન મળે છે.આ સાથે બોર્ડ દ્વારા વિવિધ કલ્યાણકારી યોજનાઓ,ધન્વંતરી આરોગ્ય રથ યોજના,સંપૂર્ણ તબીબી સહાય યોજના અંતર્ગત 17 પ્રકારના ટેસ્ટ કરી નિદાન કરવામાં આવે છે.