
ખેરાલુના ચાડા ગામે ખેતરમાં છ ફૂટ લાંબો અજગર આવતાં લોકોમાં નાસભાગ
ખેરાલુ તાલુકાના ચાડા ગામની સીમા આવેલા ખેતરમાં એકાએક છ ફૂટ લાંબો મહાકાય અજગર આવી ચડ્યો હતો. જેથી ખેતરમાં કામકાજ કરી રહેલાં લોકોમાં નાસભાગ મચી હતી. ત્યારબાદ આ અજગરને જીવદયા પ્રેમીઓએ રેસ્ક્યુ કરીને વન વિભાગને સોંપ્યો હતો. બાદમાં તંત્રએ તારંગા જંગલમાં અજગરને સહી સલામત રીતે છોડી મૂક્યો હતો.
મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકામાં અવારનવાર અજગર અને ઝેરી સાપો આવવાની ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે ચાડા ગામના રહીશ ચૌધરી ગણેશ હેમરાજભાઈનું સાગથળા રોડ ઉપર ખેતર આવેલું છે. જેમાં મજૂરો સહિતના લોકો ખેતીનું કામ કરી રહ્યા હતા, ત્યારે અચાનક મહાકાય અજગર દેખાતાં ખેતરમાં કામ કરેલા લોકોમાં નાસભાગ મચી હતી.