મહેસાણામાં નાળાની કામગીરી અધૂરી હોવાથી પચાસ સોસાયટીના રહીશો પરેશાન
રખેવાળન્યુઝ,મહેસાણા : મહેસાણામાં સોમનાથ ચોકડીથી સોમનાથ મંદિરે જવાના માર્ગ ઉપર વચ્ચે રેલવે લાઈન પસાર થાય છે, જ્યાં વાહનોની અવર-જવર માટે નાળુ બનાવવામાં આવેલું છે, જયારે આ નાળાની બાજુમાં લોકોને પગપાળા પસાર થવા માટે પગદંડી માટે અલગ નાળુ બનાવ્યું છે.આ નાળામાં છેલ્લે દોઢ વર્ષ કરતા વધુ સમયથી કામ અધૂરું જ મૂકી દેવામાં આવ્યું છે, નાળાના અવર-જવરના છેડા ઉપર પાકો આર.સી.સી. રોડ પૂરો કરાયો ના હોવાથી વાહનચાલકોના વાહનો રીતસર પછડાય છે. આ ઉપરાંત પગદંડીવાળા નાકામાં પણ આર.સી.સી.રોડ બનાવ્યો ના હોઈ લોકોને તેમાંથી પસાર થવામા હાલાકીનો સામનો કરવો પડે છે.આ નાળામાંથી પસાર થતાં પચાસથી વધુ સોસાયટીના વાહનચાલકો અને રાહદારીઓ દોઢ વર્ષથી પરેશાન છે.રહીશોની માંગ છે કે ચોમાસા પહેલાં વાહનચાલકો માટે આર.સી.સી. રોડ તેમજ પગપાળા જતાં રહીશો માટે તાત્કાલિક પગદંડી નાળામાં પાકો રોડ બનાવવો જોઈએ.
Tags mehsana