દિવાળી વેકેશનને લઈ શંખલપુરમાં 50 હજારથી વધુ શ્રદ્ધાળુઓ ઉમટ્યા
દેશભરમાં દિવાળીની ઉજવણી કરવામાં આવી છે. ત્યારે દિવાળીના વેકેશનને લઈને રજાઓ હોવાથી લોકો પોતાના પરિવાર અને મિત્રો સાથે અનેક સ્થળે પ્રવાસ અર્થે જતા હોય છે. ત્યારે યાત્રાધામ શંખલપુર ખાતે મોટી સંખ્યામાં પ્રવાસીઓ અને ભક્તો બહુચર માતાના દર્શને આશીર્વાદ લેવા ઉમટી પડ્યા હતા. જેને લઇને વાહનોની લાંબી કતારો લાગી હતી. જ્યારે મંદિર પરિસર મા બહુચરના જયઘોષથી ગુંજતુ રહ્યું હતું. ગયા વર્ષે કોરોના મહામારીના કારણે દિવાળી વેકેશનમાં લોકો ઘરની બહાર નીકળી શક્યા ન હતા. ત્યારે આ વર્ષે કોરોનાના કેસમાં ઘટાડો થતા લોકો દિવાળી વેકેશનમાં ફરવા જઈ રહ્યા છે. દિવાળી વેકેશનનો મનમુકીને લોકો લ્હાવો લઈ રહ્યા છે. ત્યારે નાના-મોટા તમામ ધાર્મિક સ્થળોથી લઈને ઐતિહાસિક અને પર્યટન સ્થળો પર્યટકોથી ઉભરાઈ રહી છે.