મહેસાણાથી રાધનપુર જતી મીની બસને અકસ્માત નડ્યો, ત્રણ લોકો ઇજાગ્રસ્ત
મહેસાણાથી રાધનપુર જતી મીની બસને ચાણસ્મા રોડ પર આવેલા પંચોટ ગામથી આગળ જતાં અકસ્માત નડ્યો હતો. અકસ્માતમાં ત્રણ લોકોને ઇજા પહોંચતા મહેસાણા સિવિલમાં લાવામાં આવ્યા હતા. આ મામલે મહેસાણા પોલીસે તપાસ હાથ ધરી છે.
મહેસાણાથી રાધનપુર જતી મીની બસે પાચોટ પાસે બ્રેક ફેલ થતા આગળ જઇ રહેલા ટર્બાને ટક્કર મારી હતી. અકસ્માતમાં મીની બસમાં બેઠેલા મુસાફરોનો એકાએક જીવ અધ્ધર થઈ ગયો હતો. જેમાં ત્રણ લોકોને સામાન્ય ઇજા પહોંચતાં 108 મારફતે મહેસાણા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતાં.