મહેસાણા ધી.કો.ઓપ.બેન્ક દ્વારા કોરોના જાગૃતિ માટે બેનરો
મહેસાણા. કોરોના જેવા ચેપી રોગથી મુક્ત રહેવા માટે મહેસાણાના નાગરીકોમાં જાગૃતિ આવે તે માટે ધી.કો.ઓપ.બેન્ક ઓફ મહેસાણા તરફથી પ્રયાસ કરાયો છે. જેમાં કોરોનાથી બચવા શુ કરવુ જોઇએ તે સમજણ આપતા ૧૦૦થી પણ વધુ બેનર્સ શહેરના જુદાજુદા વિસ્તારમાં લગાવવામાં આવ્યા હતા. બેન્કના સ્થાપક અને ખોડીયાર ગૃપના કાન્તિભાઇ પટેલે જણાવ્યુ હતુ કે મહેસાણાને કોરોના મુક્ત રાખવા લોક જાગૃતિ એજ દવા છે.
Tags Banaskantha corona Deesa Gujarat india