દિયોદર તાલુકાના છેવાડાના ખેડૂતોને યોગ્ય વળતર ચુકવવા કલેકટરને રજુઆત

રખેવાળ ન્યુઝ લવાણા : બનાસકાંઠા જિલ્લામાં થોડા દિવસ અગાઉ કમોસમી વરસાદ વરસ્યો હતો. જેમાં દિયોદરમાં નહિવત વરસાદ નોંધાયો હતો. જયારે દિયોદર તાલુકાના અંતરિયાળ ગામો જેવા કે, કોતરવાડા, ચિભડા, મખાણું, મકડાલા, સણાવ જેવા ગામોમાં દોઢથી બે ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. જેથી ખેતી પાકોને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું હતું. જોકે કમોસમી વરસાદ બાદ સરકારે સહાયની પણ જાહેરાત કરી છે પરંતુ દિયોદર તાલુકા મથકે મામલતદાર કચેરીમાં લગાવેલ વેધર ટેશનના આંકડા પ્રમાણે સરકારે દિયોદર તાલુકાને સહાયની જાહેરાત કરી છે જયારે દિયોદર તાલુકાના કોતરવાડા, ચિભડા, મખાણું, મકડાલા, સણાવ જેવા ગામોમાદોઢથી બે ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. જે ગામોને પણ સરકારે જાહેર કરેલ ૪૦૦૦ ની સહાય હેઠળ આવરવામાં આવ્યા છે. જયારે આ ગામોમાં કમોસમી વરસાદથી નુકસાન વધુ છે માટે સરકાર દ્વારા દિયોદર તાલુકાના આ ગામોમાં ફરી સર્વે કરી યોગ્ય વળતર આપવા માટે ખેડૂતો અને અગ્રણીઓ દ્વારા જિલ્લા કલેકટરને લેખિતમાં રજુઆત કરવામાં આવી છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.