લોકડાઉનના પર સોનિયા ગુસ્સામાં,લોકડાઉનના કારણે લાખો મજૂરોનું ઉત્પીડન

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

નવી દિલ્હી
 
ગુરૂવારે કોંગ્રેસ વર્કિંગ કમિટીની વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા બેઠક યોજાઇ હતી. આ દરમિયાન કોંગ્રેસના અધ્યક્ષા સોનિયા ગાંધીએ મોદી સરકાર પર સવાલો ઉઠાવ્યા હતા. સોનિયાએ કહ્યું કે ૨૧ દિવસનું લોકડાઉન જરૂરી હતું પરંતુ તેને આયોજન વિના લાગૂ કરી દેવામાં આવ્યું છે. લોકડાઉનના કારણે લાખો મજૂરોનું ઉત્પીડન થયું છે. 
 
સોનિયાએ કહ્યું કે સરકારને ડોક્ટર, નર્સ અને ચિકિત્સાના કર્મચારીઓને વ્યક્તિગત સુરક્ષા ઉપકરણો પ્રદાન કરવા જોઇએ. સરકારને જણાવવું જોઇએ કે હોસ્પિટલોમાં બેડની સંખ્યા કેટલી છે અને ટેસ્ટ માટે કેવી સુવિધાઓ ઉપલબ્ધ છે. ખેડૂતોના પાકને ઉતારવા માટે જે પ્રતિબંધ છે તે હટાવવો જોઇએ. મધ્યમવર્ગ માટે એક મિનિમમ કાર્યક્રમ સરકાર જાહેર કરે તેવી માંગ સોનિયાએ કરી હતી. 
 
રાહુલ ગાંધીએ કહ્યું કે અમે બે મહિનાથી કોરોના પર નજર રાખીને બેઠા છીએ અને જાણકારો સાથે વાત કરી રહ્યા છીએ. વિશ્વનો કોઇ દેશ એવો નથી જેણે મજૂરોના જમવા, રહેવાની વ્યવસ્થા વિના લોકડાઉનની જાહેરાત કરી હોય.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.