મેત્રાણા ચાચરેટદાદાના મંદિરે મહાયજ્ઞ યોજાયો

ડીસા : સિધ્ધપુર તાલુકાના મેત્રાણા ગામે આવેલ સુપ્રસિદ્ધ ચાચરેટ વિર દાદાના મંદિરે રવિવાર તા.૩.૧૧.૨૦૧૯ના રોજ મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. જે પ્રસંગે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહી દર્શન તેમજ ભોજન પ્રસાદનો લાભ લીધો હતો.
આ યજ્ઞ પ્રસંગે વિરજીભાઈ જુડાલ, દીપકભાઈ કે. શાહ, વાલજીભાઈ જુડાલ, કરશનભાઈ જરમોલ, કનૈયાલાલ દેવશંકર દવે(જગાણા), ઘેમરભાઈ જુડાલ, ડો.ગણેશભાઈ જુડાલ સહીત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. શ્રી બનાસકાંઠા ચાચરીયા વિર મહારાજ યજ્ઞ સેવા સમિતિ પાલનપુરના સુચારુ આયોજનથી સમગ્ર યજ્ઞ કાર્યક્રમ સફળ રહ્યો હતો. 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.