સુરત શહેરમાં આવેલ તક્ષશિલા કોમ્પલેક્સમાં અચાનક આગ ફાટી નીકળતા તેમાં ચાલતા ટ્યુશન ક્લાસના એક શિક્ષક સહિત ૧૨ ના કમકમાટીભર્યા મોત નીપજ્યા છે કોમ્પલેક્સના બીજા માળે ચાલતા ટ્યુશન ક્લાસના બાળકોએ જીવ બચાવવા ચોથા માળેથી પડતું મુકતા મોતને ભેટ્યા હતા જાણવા મળતી માહિતી મુજબ ટ્યુશન ક્લાસમાં ૪૦ બાળકો હતા આ દુર્ઘટનામાં ફસાયેલા અન્ય બાળકોને બચાવી દવાખાને ખસેડેલ છે ફાયર બ્રિગેડની ૧૫ ગાડીઓ આગ બુઝાવવાની કોશિસ કરી રહી છે હજુ સુધી આગ નું કારણ જાણી શકાયું નથી કોમ્પલેક્સના આગળના ભાગે આગ લાગતાં અફડા તફડી મચી ગઈ હતી આગમાં ફસાયેલ બાળકોના શબ હજુ પણ કોમ્પલેક્સમાં હોવાની આશંકા છે.