દુધરેજ ખાતે આવેલા વડવાળા મંદિરે હોળીના દિવસે યોજાયેલ સંતવાણી કાર્યક્રમ સમયે લાલપુર ગામના સુચોલ પીરાભાઈ પોતાના વ્હાલસોયા બાળકની મંદિરમાં ભેટ ધરી દીધો હતો. દેશ અને દુનિયામાં લોક મંદિરોમાં મોંઘીદાટ જમીનો રૂપિયા હીરા ઝવેરાતની ભેટ સોગાદો ધરી દેતા હોય છે એવામાં દુધરેજ ખાતે સમગ્ર વિશ્વના રબારી સમાજની ગુરુ ગાદી વડવાળા દેવનું મંદિર આવેલ છે. રબારી સમાજના કોઈપણ પરિવારમાં સંતાન ના થતા લોકો વડવાળા દેવની માનતા રાખે છે કે પોતાને ત્યાં દીકરાનો જન્મ થશે તો એક દીકરો મંદિરમાં ભેટ સ્વરૂપે ધરી દઈશું. આ પરંપરા વર્ષોથી ચાલતી આવે છે હોળીના દિવસે હજારો ભક્તોની હાજરીમાં દુધરેજ કનીરામજી બાપુની ઉપસ્થિતિમાં ભવ્ય સંતવાણી કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે લાલપુર ગામ ના સુચોલ પીરાભાઈ પોતાના વ્હાલસોયા લાડકવાયા દિકરાની ભેટ ધરી દીધો હતો.આ સમયે હાજર લોકો ભાવવિભોર થઇ ગયા હતા આજના યુગમાં પોતાનાં દીકરાને ભેટ ધરી દેતાં રબારી સમાજ સહિત સમગ્ર વિસ્તારના લોકો ગર્વ સાથે આનંદ અનુભવે છે.