ઉંઝા : ઉંઝા નજીકના ૈનાવા ગામે એક સગીરાને ભગાડી જવામાં આરોપી સાથે ફોન પર વાતચીત થવાની ડીટેલઈસ આધારે અન્ય એક યુવાનને પોલીસે તપાસ અર્થે બોલાવ્યા બાદ આ યુવાને રાતના સમયે પોતાના ઘર આગળ લીમડાના ઝાડ પર ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કર્યાની રાત્રે જ પોલીસે સગીરાના વાલીની ફરિયાદ બાબતે અપહરણનો ગુનો દાખલ કરી બીજ દિવસે મરણ જનાર યુવાનના કાકાની ફરિયાદ આધારે સગીરાના કેટલાક પરિવારજનો વિરૂધ્ધ દુષ્પેરણ અંગેનો ગુનો નોંધાતા પોલીસની કથિત શંકાસ્પદ કાર્યશૈલી સામે સવાલો ઉઠ્યા છે.રાવળ સમાજના યુવાને આત્મહત્યા કરી ત્યારે તેના પરિવારજનોએ સ્થાનિક પોલીસ વિરૂધ્ધ ગંભીર પ્રકારના આક્ષેપો કર્યા હતા. આ આ સમયે મામલો ગરમાયો હતો જેથી વિસનગર ડી.વાય. એસ.પી. સહિતના અન્ય અધિકારીઓનો કાફલો ઉનાવા દોડી આવ્યો હતો. અને મામલાને ઠંડો પાડ્યો હતો. આમ યુવાનની આત્મહત્યા બાદ પોલીસે અચાનક બંન્ને પક્ષોની જુદીજુદી ફરિયાદો નોંધીને પાતાના બચાવ માટેનો માર્ગ મોકળો કર્યો હોવાનું આમજનતામાં ચર્ચાય છે. ત્યારે ખરેખર આમાં સત્ય શું છે? તે અંગે રાજ્યના વરિષ્ઠ પોલીસ સત્તાધિશોએ નિપક્ષ અને ન્યાયી તપાસ કરાવવી જાઈએ તેવો લોકમત છે.