અંબાજી જતા ૨ પદયાત્રીઓને બાઈકચાલકોએ અડફેટે લીધા

અરવલ્લી : હાલોલ-શામળાજી માર્ગ પર વાંટા-વાછોડા માર્ગ પર કારની ટક્કરે ત્રણ પદયાત્રીઓના મોતની ઘટનાની શાહી સુકાઈ નથી ત્યાં મોડાસાના મુલોજ અને માલપુરના માલજીના પહાડીયા નજીક બે અલગ-અલગ બાઈક સવારોએ પદયાત્રીઓને અડફેટે લેતા ઈજાગ્રસ્ત થયા હતા. અકસ્માતથી પદયાત્રીઓમાં ચિંતા પ્રસરી હતી.બંને હોÂસ્પટલમાં ખસેડાયા છે અને સારવારમાં છે. જિલ્લાના મુખ્ય માર્ગો અને અંતરિયાળ માર્ગો અંબાજી પગપાળા જતા સંઘોથી ઉભરાઈ રહ્યા છે. રાત્રીના સમયગાળા દરમિયાન પદયાત્રીઓ પસાર થતા પદયાત્રીઓ અનેકવાર રોડ પરથી પસાર થતા નાના-મોટા વાહનચાલકોની અડફેટે આવી અકસ્માતનો ભોગ બને છે. મોડાસાના મુલોજ નજીક અજાણ્યા બાઈક ચાલકે ટક્કર મારતા અને માલપુર-મોડાસા હાઈવે પર માલજીના પહાડીયા નજીક બાઈકે અડફેટે લેતા પદયાત્રીઓમાં નાસભાગ મચી હતી. બંને ઇજાગ્રસ્તોને ૧૦૮ ઇમરજન્સી એમ્બ્યુલન્સ મારફતે મોડાસા સાર્વજનિક હોÂસ્પટલમાં ખસેડાયા હતા. ફરજ પરના તબીબોએ સઘન સારવાર આપી હતી. સાર્વજનિક હોÂસ્પટલમાં પદયાત્રીઓ મોટી સંખ્યામાં ઉમટ્યા હતા. માઈ ભક્તોમાં બેફામ વાહન હંકારતા વાહનચાલકો સામે પોલીસ તંત્ર શખ્ત કાર્યવાહી કરે અને પદયાત્રીઓને સુરક્ષા પુરી પાડવામાં આવેની માંગ પ્રબળ બની છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.