હૈદરાબાદના કાચીગુડા રેલવે સ્ટેશન પર બે ટ્રેન સામ સામે અથડાઈ હતી. પ્રાથમિક માહિતી પ્રમાણે, એક MMTS(લોકલ) ટ્રેન સ્ટેશન પર ઊભેલી એક્સપ્રેસ ટ્રેન સાથે અથડાઈ ગઈ હતી. આ દુર્ઘટનામાં 12 લોકો ઘવાયા હતા. ઘણા મુસાફરો ટ્રેન સામ સામે અથડાતા પહેલા જ ટ્રેનમાંથી કુદી ગયા હતા.
અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, સિગ્નલ સિસ્ટમમાં થોડી ગરબડ થઈ હતી. આ જ કારણે લોકલ ટ્રેનનો ટ્રેક બદલાઈ ગયો હતો અને સ્ટેશન પર ઊભેલી ઈન્ટરસિટી એક્સપ્રેસ સાથે અથડાઈ હતી. ટ્રેનની સ્પીડ ધીમી હોવાના કારણે મોટી દુર્ઘટના થવાથી બચી ગઈ છે. ઘટના અંગે રેલવે મંત્રી પીયૂષ ગોયલે પણ ટ્વીટ કર્યું છે. તેમણે કહ્યું કે, રેલવે તંત્ર ઘાયલો સુધી મદદ પહોંચાડવામાં લાગી ગયું છે.