રાજ્યમાં આજે ધો.12 સામાન્ય પ્રવાહનું 73.27 ટકા પરિણામ જાહેર થયું છે. સૌથી વધુ પરિણામ પાટણ જિલ્લાનું 85.03 ટકા આવ્યું છે જ્યારે સૌથી ઓછું પરિણામ પંચમહાલનું 45.82 ટકા પરિણામ આવ્યું છે. 100 ટકા પરિણામ ધરાવતી શાળાઓ 222 છે, જ્યારે 10 ટકાથી ઓછું પરિણામ ધરાવતી શાળાઓ 79 છે. સૌથી વધુ પરિણામ અમદાવાદના નવરંગપુરા કેન્દ્રનું 95.66 ટકા છે, જ્યારે સૌથી ઓછું પંચમહાલ મોરવા રેણાનું 15.43 ટકા આવ્યું છે. પરિણામ બોર્ડની વેબસાઇટ www.gseb.org પર વહેલી સવારથી જાહેર થઇ ગયું છે. જ્યારે 11 વાગ્યાથી શાળામાંથી માર્કશીટ મેળવી શકાશે.
2018માં પરિણામ 55.52%, વ્યવસાયિક પ્રવાહનું 52.29%, ઉત્તર બુનિયાદી પ્રવાહનું પરિણામ 55.55% રહ્યું હતું. 2019માં સૌથી વધુ રેગ્યુલર 39 હજાર વિદ્યાર્થી સુરતથી નોંધાયા છે. જ્યારે કેન્દ્રશાસિત પ્રદેશોને બાદ કરતાં સૌથી ઓછા 1511 વિદ્યાર્થી ડાંગ-આહવામાંથી નોંધાયા છે.