સાબરકાંઠામાં પરીક્ષા આપવા જતાં યુવાનોની કાર કન્ટેનરમાં ઘૂસતા ૩ના મોત.

સાબરકાંઠા
સાબરકાંઠા

હિંમતનગરઃઉદયપુર પાસે ટીડી હોસ્પિટલના પાટીયા નજીક પરીક્ષા આપવા જતા હિંમતનગરના યુવાનોની કાર કન્ટેનરમાં ઘૂસી જતાં ઘટનાસ્થળે ૩ યુવાનોના મોત નિપજ્યા હતા. દરમિયાન મોડી રાત્રે ઉદયપુર નજીક કન્ટેનરમાં કાર ઘૂસતા ઘટનાસ્થળે જ ૩ના પ્રાણપંખેરું ઉડી ગયા હતા. તેમના મૃતદેહોને બહાર કાઢવા માટે જેસીબી મશીનની મદદ લેવાઈ હતી. કારમાં સવાર એક ઈજાગ્રસ્ત યુવાનને નજીકની હોસ્પિટલમાં સારવારાર્થે ખસેડાયો હતો. તમામના મૃતદેહોને વતનમાં લાવવાની કાર્યવાહી હાથ ધરાઈ છે.
 
હિંમતનગરના માનવ બ્રહ્મભટ્ટ, ધવલ દેસાઈ અને નેહલ પટેલ તેમજ અન્ય એક યુવાન જીજે રાજસ્થાન પરીક્ષા આપવા માટે ગયા હતા. મોડી રાત્રે એક વાગ્યા આસપાસ ઉદયપુર નજીક ટીડી હોસ્પિટલના પાટીયા પાસે તેમની કાર એક કન્ટેનરમાં ઘૂસી ગઈ હતી. કન્ટેનરમાં તેમની કાર ઘૂસતા ત્રણેયના મોત થયા હતા. કાર કન્ટેનરમાં અડધી ઘૂસી જતા બે કલાકની જહેમત બાદ ત્રણેયના મૃતદેહો બહાર કઢાયા હતા. જ્યારે ઈજાગ્રસ્ત યુવાનને ટીડી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપીને ઉદયપુરની એમ બી હોસ્પિટલ રિફર કરાયો હતો.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.