સુરત આગની ઘટનાના બનાસકાંઠામાં પડઘા પડ્યા, ટ્યુશન કલાસીસ બંધ કરવા જીલ્લા શિક્ષણ અધિકારીનો આદેશ

સુરતમાં ટયુંશન કલાસમાં લાગેલી ભીષણ આગમાં 20 જેટલાં બાળકો એ જીવ ગુમાવતા તંત્ર અને સરકાર હચમચી જવા પામી છે અને આગના બનાવની સધન તપાસના આદેશ આપવામાં આવ્યા છે તેમજ ફાયર સેફટીના અભાવે ભવિષ્યમાં ફરી કોઈ આવી ઘટના ન બને તે માટે બિલ્ડીંગો,શાળાઓ અને ટ્યુશન કલાસમાં ફાયર સેફટી ની તપાસ ના આદેશ કરાયા છે
સુરત ઘટનાના પગલે બનાસકાંઠામાં પણ આગની ઘટનાઓને રોકવા માટે જિલ્લા કલેકટર દ્રારા તાકીદની બેઠક બોલાવવામાં આવી હતી.જેમાં જિલ્લાની મુખ્ય નગરપાલિકા અને ડિજાસ્ટર મેનેજમેન્ટને બિલ્ડિંગ બાયલોજ નિયમોનું કડકાઈથી પાલન કરાવવા માટે કલેકટર સંદીપ સાંગલે દ્રારા આદેશ કરવામાં આવ્યા હતા. જેમાં બહુમાળી બિલ્ડીંગોમાં ફાયરસેફ્ટી જરૂરી હોય જે બિલ્ડીંગમાં ફાયર સેફ્ટી નહીં.હોય તેમના સામે કડક પગલાં ભરવા.માટે આદેશ કરવામાં આવ્યા છે.સુરતમાં ટ્યુશન ક્લાસમાં આગ લાગવાની ઘટના બાદ હરકતમાં મુકાયેલા તંત્ર દ્રારા રાજ્યમાં ટયુશન કલાસો સામે તપાસનો દોર શરૂ કરાયો છે. જેમાં બનાસકાંઠાના તમામ ટ્યુશન ક્લાસીસને બંધ કરવાના પણ શિક્ષણ વિભાગ દ્રારા આદેશ કરવામાં આવ્યો છે. બનાસકાંઠા જિલ્લા શિક્ષણ અધિકારી જે.પી.પ્રજાપતિએ સુરત આગની ઘટના બાદ જિલ્લામાં ચાલતા ટ્યુશન કલાસીસ બંધ કરવા આદેશ  કર્યો છે અને તમામ ટ્યુશન ક્લાસોંમાં ફાયર સેફ્ટીના સાધનોની ચકાસણી કરવામાં આવશે. જિલ્લામાં માત્ર ટ્યુશન ક્લાસ નહીં તમામ બહુમાળી બિલ્ડીંગોનું પણ ચેકિંગ કરશે. જેમાં જે બિલ્ડીંગોમાં બિલ્ડિંગ બાયલોજ નિયમો ભંગ થશે તેમની સામે કડક કાર્યવાહી કરવા માટે કલેકટર દ્રારા કડક સૂચના અપાઈ છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.