કાંકરેજની નર્મદા કેનાલમાંથી એક અજાણ્યા યુવકની લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. ઘટનાની જાણ થતા લોકોના ટોળેટોળા કેનાલ ખાતે ઉમટી પડ્યા હતા. સ્થાનિક તરવૈયા દિનેશ પટેલે ભારે જહેમતને અંતે તેની લાશ બહાર નીકાળ્યા બાદ પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી વધુ તપાસ હાથ ધરી છે.
બનાસકાંઠા જીલ્લાના કાંકરેજ પંથકમાંથી પસાર થતી ચાંગા કેનાલમાં એક યુવકની લાશ તરતી બહાર આવી છે. ઘટનાની જાણ થતાં સ્થાનિક તરવૈયાઓ લાશને બહાર નીકાળી હતી. ઘટનાને લઇ લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. થરા પોલીસે ઘટના સ્થળે પહોંચીને મૃતદેહને થરા રેફરલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી વધુ તપાસ હાથ ધરી છે.