A technical snag was observed in launch vehicle system at 1 hour before the launch. As a measure of abundant precaution, #Chandrayaan2 launch has been called off for today. Revised launch date will be announced later.
ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ISRO)નું બીજું મુન મિશન ચંદ્રયાન-2ના લોન્ચિંગમાં તકનીકી ખામીના લીધે રોકી દીધું છે. લોન્ચની બરાબર 56.24 મિનિટ પહેલાં ચંદ્રયાન-2નું કાઉન્ટડાઉન રોકી દીધું છે. હવે નવી તારીખ જાહેરાત ઝડપથી જાહેર કરાશે. ચંદ્રયાન-2ને 15મી જુલાઇના રોજ સવારે 2.51 વાગ્યે સૌથી તાકતવાર બાહુબલી રોકેટ GSLV-MK3થી લોન્ચ કરવાના હતા. ઇસરો વૈજ્ઞાનિક એ ભાળ મેળવવાની કોશિષ કરી રહ્યા છે કે લોન્ચ પહેલાં આ તકનીકી કમી કયાંથી આવી. ઇસરો પ્રવકતા બીઆર ગુરૂપ્રસાદે ઇસરોની તરફથી નિવેદન આપતા કહ્યું કે જીએસએલવી-એમકે3 લોન્ચ વ્હિકલ (રોકેટ)માં ખામી આવતા લોન્ચિંગ રોકી દેવાયું છે. લોન્ચિંગની આગળની તારીખ ટૂંક સમયમાં જ જાહેર કરાશે.
લોન્ચિંગના લગભગ 56.24 મિનિટ પહેલાં ઇસરોએ મીડિયા સેન્ટર અને વિઝિટર ગેલેરીમાં લાઇવ સ્ક્રીનિંગ રોકી દીધું. કમીને જોતા જ લોન્ચ પ્રક્રિયા રોકી દેવામાં આવી. આ રૂકાવટના લીધે ઇસરો વૈજ્ઞાનિકોની 11 વર્ષની મહેનતને નાનકડો ઝાટકો લાગ્યો છે. જો કે ઇસરો વૈજ્ઞાનિકો દ્વારા અંતિમ ક્ષણોમાં આ તકનીકી ખામી શોધી લેવી મોટું પગલું છે. જો આ કમીની સાથે રોકેટ છૂટ્યું હોત તો મોટો અકસ્માત થઇ શકયો હોત. આ વૈજ્ઞાનિકોની મહારથ છે કે તેમણે ભૂલ શોધી લીધી છે. તેને ટૂંક સમયમાં જ ઠીક કરીને તેઓ લોન્ચની નવી તારીખ જાહેર કરશે.