આવતીકાલે રાજકોટમાં મહાવેકસીન અભિયાન યોજાશે,50 હજાર ડોઝ આવ્યા
આવતીકાલે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિને મહાનગરપાલિકા દ્વારા કોરોના વેક્સિનેશન મહાઅભિયાન યોજાશે. જે અભિયાનને સફળ બનાવવા શહેરની વિવિધ સંસ્થાઓ સાથે મેયર ડો.પ્રદિપ ડવના અધ્યક્ષસ્થાને એક બેઠક યોજાઈ હતી. જેમાં આવતીકાલે વધુ ને વધુ લોકો વેક્સીન લઈ લે તે અંગે આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત સરકારે રાજકોટને આવતીકાલ માટે વેકસીનના 50 હજાર ડોઝ ફાળવ્યા છે. જેના અંતર્ગત દરેક આરોગ્ય કેન્દ્રો ઉપરાંત વોર્ડ ઓફિસમાં રસીકરણ થવાનું છે. આ સિવાય સંસ્થાઓ,કોલેજો ખાતે પ્રથમ અને બીજા ડોઝનું રસીકરણ કરવામાં આવશે. આ સિવાય અન્ય સ્થળોએ મોબાઈલ વેકસીનેશન વાન મોકલીને વેક્સીનેશન થશે. આ મહાઅભિયાનમાં હાઉસિંગ સોસાયટીઓ,સ્લમ એરિયા,બાંધકામ સાઈટ્સ,હોકાર્સ ઝોન વગેરે સ્થળોને આવરી લેવામાં આવશે. જેના અંતર્ગત મ્યુનિ.કમિશનર દ્વારા ડેપ્યુટી કમિશનરો,આસીસ્ટન્ટ કમિશનરો,અન્ય અધિકારીઓ,તબીબો વગેરેને જવાબદારીઓ સુપ્રત કરી દેવામાં આવી છે. આરોગ્ય કેન્દ્ર સહિત 31 કેન્દ્રો પર કોવીશિલ્ડ રસી આપવામાં આવે છે. જ્યારે બે કેન્દ્રો પર કોવેક્સિન રસી આપવામાં આવે છે. જેમાં કોવીશિલ્ડ રસીના પ્રથમ ડોઝ બાદ 28 દિવસ થઇ ગયા હોય તેવા નાગરિકોને બીજો ડોઝ આપવામાં આવે છે. જયારે કોવીશિલ્ડ જે નાગરિકોએ પ્રથમ ડોઝ લીધો હોય તેવા નાગરિકોને 84 દિવસ થયા હોય તેવા તમામ નાગરિકોને બીજો ડોઝ આપવામાં આવી રહ્યો છે.