વડોદરાના કમાટીબાગમાં ત્રિ-દિવસીય બાળમેળાનો પ્રારંભ થયો

ગુજરાત
ગુજરાત

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓનો 50મો બાળમેળો સયાજી કાર્નિવલ આજથી ત્રણ દિવસ સુધી કમાટીબાગ શિવાજી પ્રતિમા ગાર્ડન ખાતે શરૂ થયો છે.જેમાં સવારે બાળમેળાનો પ્રારંભ કરાયો ત્યારે બાળમેળામાં ગુજરાતના મુખ્યમંત્રી ઉપસ્થિત રહ્યા હતા અને તેમના હસ્તે બાળમેળાનું ઉદ્ઘાટન કરાયું હતું.જે બાળમેળાની પૂર્વ તૈયારીરૂપે અને નગરજનોને બાળમેળો નિહાળવા આવવા આમંત્રિત કરવા તા.26મીએ સાંજે સયાજી રેલી ગાંધીનગર ગૃહ ખાતેથી નીકળી હતી જેમાં મોટી સંખ્યામાં બાળકો તેમજ શિક્ષકો જોડાયા હતા.આ રેલી કાલાઘોડા ખાતે સમાપ્ત થઈ હતી.બાળમેળામાં શિક્ષણ સમિતિની 90 બાલવાડીમાં થ્રીડી વર્ચ્યુઅલ રિયાલિટીથી અભ્યાસ કરતા પ્રોજેક્ટનું મુખ્યપ્રધાન દ્વારા ઉદઘાટન કરવામાં આવ્યું હતું.જેમાં તેમણે બાળકોને કીટ એનાયત કરી હતી.આ સિવાય બાળમેળામાં 40 પ્રોજેક્ટ રજૂ થયા છે અને 120 સાંસ્કૃતિક કૃતિઓ જોવા મળશે.આ વખતે બાળમેળાનુ આયોજન જી-20ના વસુદેવ કુટુંબકમ થીમ આધારિત કરાયું છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.