વડોદરામાં વધુ ૬ દર્દીના મોત, પોઝિટિવ કેસનો કુલ આંક ૨૭૧૮ ઉપર પહોંચ્યો.

ગુજરાત
ગુજરાત

વડોદરાની સયાજી હોસ્પિટલમાં કોરોના વાઈરસની સારવાર દરમિયાન આજે વધુ ૬ દર્દીના મોત થયા છે. વડોદરાના માણેજા વિસ્તારમાં રહેતા ૮૦ વર્ષીય વૃદ્ધનું અને અલકાપુરી વિસ્તારમાં રહેતા ૬૮ વર્ષીય વૃદ્ધનું મોત થયું છે. પાદરાના સાંઢા ગામની ૭૦ વર્ષીય વૃદ્ધા, સરદાર એસ્ટટ પાસે રહેતી ૮૫ વર્ષીય વૃદ્ધા અને રાવપુરા વિસ્તારમાં રહેતી ૬૯ વર્ષીય વૃદ્ધ મહિલાનું મોત થયું છે. આ ઉપરાંત સુરતના મોટા વરાછા વિસ્તારના ૬૯ વર્ષીય વૃદ્ધનું વડોદરામાં મોત થયું છે.

વડોદરા શહેર અને જિલ્લામાં કોરોના વાઈરસના પોઝિટિવ કેસની કુલ સંખ્યા ૨૭૧૮ ઉપર પહોંચી છે. વડોદરામાં અત્યાર સુધીમાં કુલ ૧૯૯૧ દર્દી રિકવર થયા છે. વડોદરામાં અત્યારે કુલ ૬૭૦ એક્ટિવ કેસ છે, જે પૈકી ૧૩૮ ઓક્સિજન ઉપર અને ૩૬ વેન્ટીલેટર-બી પેપ ઉપર છે.

વડોદરાના આ વિસ્તારોમાં મંગળવારે વાઘોડિયા રોડ, વારસીયા, માંજલપુર, ફતેપુરા, અલકાપુરી, પ્રતાપનગર, કિશનવાડી, સમા, દાંડીયાબજાર, કારેલીબાગ, નવાપુરા, વાડી, ગોરવા, ગોત્રી, નાગરવાડા, અને આજવા રોડ વિસ્તારમાં કોરોના વાઈરસના કેસો નોંધાયા હતા. જ્યારે વડોદરા ગ્રામ્યમાં પાદરા, સાવલી, કોયલી, નંદેસરી, પોર, કરજણ અને શિનોરમાં કોરોનાના કેસો નોંધાયા હતા. આ ઉપરાંત ગાંધીનગરનો એક કેસ પણ વડોદરામાં નોંધાયો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.