આજથી પાવાગઢ મંદિરમાં છોલેલા શ્રીફળ પર પ્રતિબંધ મુકાયો
ચૈત્રી નવરાત્રી નિમિતે માઈભક્તોની ભીડ યાત્રાસ્થળે મોટા પ્રમાણમાં જોવા મળશે.ત્યારે તે સમયે સ્વચ્છતાને ધ્યાનમાં રાખી પાવાગઢ મંદિર ટ્રસ્ટ દ્વારા એવો નિર્ણય લેવામાં આવ્યો હતો કે છોલેલું શ્રીફળ લઈ જવા તેમજ વધેરવા પર પ્રતિબંધ મુકવામાં આવે છે.આ પ્રતિબંધ આજથી લાગુ થઈ રહ્યો છે.જેમાં પાવાગઢ માચી ખાતે નારિયેળ વધેરવા માટે મંદિર ટ્રસ્ટે મશીન મુક્યું છે.જેથી ભક્તો પાવાગઢ ડુંગર પર માતાજીના દર્શન કરીને પાવાગઢ માચીએ છોલેલું શ્રીફળ વધેરી શકશે.આમ માતાજીના દર્શને આવતા માઇભક્તો છોલેલું શ્રીફળ લઇ નહી જઇ શકે.ભક્તો મંદિરમાં આખું શ્રીફળ જ લઇ જઇ શકશે.ભક્તો મંદિર નીચે ઉતરીને જ છોલેલું શ્રીફળ વધેરી શકશે એટલું જ નહીં જો વેપારીઓ છોલેલું શ્રીફળ વેચશે તો તેમની સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવશે.ત્યારે ટ્રસ્ટના આ પ્રકારના નિર્ણયથી ભક્તો અને બજરંગ દળ સહિતના લોકોએ વિરોધ કર્યો છે.