પતિના મામી સાથેના આડાસંબંધની જાણ થતા પત્નીએ કર્યું ન કરવાનું કામ

ગુજરાત
ગુજરાત

જામનગર, શહેરની એક પરણીતાએ પોતાના પતિ અને મામીજી સાથેના આડા સંબંધના કારણે મારકૂટ સહિતના ત્રાસથી કંટાળી અગ્નિસ્નાન કર્યું છે. મામીજી સાથેના આડા સંબંધના કારણે પતિ અને મામીજી તથા તેના બે પુત્રોએ મારકુટ કરી ત્રાસ ગુજાર્યાની મહિલા પોલીસમાં ફરિયાદ નોંધાવાઇ છે. જામનગરના ગોકુલ નગર સત્યસાંઈ વિસ્તારમાં રહેતી એક પરણીતાએ પોતાના પતિ અને મામીજી સાથેનાઅનૈતિક સંબંધોના કારણે તેમજ તેઓની મારકુટ સહિતના ત્રાસના કારણે જિંદગીથી તંગ આવી જઈ અગ્નિ સ્નાન કરી લેતાં તેણીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાઈ છે.

જ્યાં પોલીસે તેણીના નિવેદનના આધારે પતિ- મામીજી અને તેના બે પુત્રો સામે ત્રાસ અંગે મહિલા પોલીસ દ્વારા ગુનો પણ નોંધવામાં આવ્યો છે. જામનગરના ગોકુલ નગરના સત્યસાઈ વિસ્તારમાં રહેતી વૈશાલીબેન કિશોરભાઈ રાઠોડ નામની ૨૮ વર્ષની પરણીતાએ પોતાના ઘેર શરીરે કપાસિયાનું તેલ છાંટી અગ્નિસ્નાન કરી લેતાં દાઝી જવાથી તેણીને સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. જયાં તેને બન્સ વોર્ડમાં સધન સારવાર ચાલી રહી છે. આ બનાવની જાણ થતાં જ જામનગર મહિલા પોલીસ સ્ટેશનનો સ્ટાફ જી.જી હોસ્પિટલ દોડી ગયો હતો અને તેણીનું નિવેદન નોંધ્યું હતું. જેમાં વૈશાલીબેનના જણાવ્યા અનુસાર તેણીના પતિ કિશોરભાઈ રણછોડભાઈ રાઠોડ કે, જેને મામીજી સાથે આડા સંબંધો હોવાનો આક્ષેપ કર્યો હતો.

જે બંને વચ્ચેના સંબંધના કારણે તેણીને પતિ કિશોર મારકુટ કરતો હતો. મામીજીના બે પુત્રો ભરત અને મયંક પણ મારકુટ કરી ત્રાસ આપતા હોવાથી આ તમામના ત્રાસના કારણે અગ્નિ સ્થાન કરી લીધું હોવાનું જણાવ્યું હતું. હાલ તો જામનગર મહિલા પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. આર.એ. ચનીયારા એ વૈશાલીબેનની ફરિયાદના આધારે તેણીના પતિ કિશોર રાઠોડ ઉપરાંત મામીજી અને તેના બે પુત્રો ભરત અને મયંક સામે આઈપીસી કલમ ૪૯૮ એ, ૩૨૩ ને ૧૧૪ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.