ગુજરાતમાં 1 માર્ચેથી શરૂ થસે બજેટ સત્ર, 2 કે 3 માર્ચે રજૂ થસે અંદાજપત્ર
રાજ્યમાં કોરોના કાળ બાદ બજેટ સત્ર ને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. 2 અથવા 3 માર્ચે રાજ્યનું અંદાજપત્ર રજૂ થઈ શકે છે. બજેટ સત્રને લઈને આખરી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. એક માર્ચથી વિધાનસભાનું બજેટ સત્ર શરૂ થશે. બજેટ સત્ર ઓછામાં ઓછું 24 દિવસનું હશે. રાજ્યપાલના સંબોધન બાદ 2 પૂર્વ CMને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે.
અંદાજ પત્ર પર સામાન્ય ચર્ચા માટે 5 દિવસ ફાળવવામાં આવશે. અંદાજ પત્રની માંગણીઓ પર 12 દિવસ ચર્ચા થશે. તો આ વખતે રાજ્યમાં સૌથી ચર્ચાસ્પદ લવ જેહાદ સુધારા સહિતના વિધેયકો પણ રજૂ થશે. પ્રથમ દિવસે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ગૃહને સંબોધિત કરશે. રાજ્યપાલના સંબોધન બાદ રાજ્યના પૂર્વ બે મુખ્યમંત્રી માધવસિંહ સોલંકી અને કેશુભાઈ પટેલ ને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે.
રાજ્યપાલના સંબોધન બાદ આભાર પ્રસ્તાવ પર ત્રણ દિવસ ચર્ચા કરવામાં આવશે. તો દર વર્ષની જેમ બજેટ સત્રના અંતિમ દિવસે કેગનો ઓડિટ અહેવાલ પણ રજૂ કરવામાં આવી શકે છે. રાજ્યના નાણાંમંત્રી નીતિન પટેલે ગત વર્ષે 2020-21નું રૂ. 2,17,287 કરોડનું બજેટ રજૂ કર્યું હતું.