
અમદાવાદમાં ભયંકર અકસ્માત, 9 લોકોનાં કરુણ મોત; 20 લોકો ઘાયલ
અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર મોટી દુર્ઘટના સર્જાઈ છે. અહીં સ્પીડમાં આવતી કારે ભીડને કચડી નાંખી છે. આ અકસ્માતમાં 9 લોકોના મોત થયા છે જ્યારે 15 થી 20 લોકો ઘાયલ થયા છે. પહેલા થાર અને ટ્રકની ટક્કર થઈ હતી, જેને જોવા માટે લોકોની ભીડ ઉમટી પડી હતી. ત્યારે અચાનક જગુઆર કાર આવી અને ભીડ પર ફરી વળી. આ અકસ્માતમાં બે પોલીસ કર્મચારીઓના પણ મોત થયા છે. અકસ્માત બાદ વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. રસ્તા પર પડેલા લોકો વેદનાથી રડતા જોવા મળ્યા હતા. માહિતી મળતા જ પ્રશાસનની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને ઘાયલોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાવ્યા હતા.
પોલીસના જણાવ્યા અનુસાર, અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી છે. એક ઝડપી કાર ભીડ પર દોડી ગઈ હતી. આ અકસ્માતમાં 9 લોકોના મોત થયા છે. મૃતકોની ઓળખ થયા બાદ તેમના સંબંધીઓને જાણ કરવામાં આવી રહી છે. આ અકસ્માતમાં અનેક લોકો ઘાયલ થયા છે.
મળતી માહિતી મુજબ, અમદાવાદના સરખેજ-ગાંધીનગર હાઈવે પર આવેલા ઈસ્કોન બ્રિજ પર ગઈકાલે રાત્રે લગભગ 1.15 કલાકે આ ભયાનક અકસ્માત સર્જાયો હતો. થાર અને ટ્રકની ટક્કર જોવા લોકો અહીં એકઠા થયા હતા, ત્યારે અચાનક બેકાબૂ કારે ભીડને કચડી નાંખી હતી.
અહેવાલો અનુસાર, ઝડપભેર કાર રાજપથ ક્લબ વિસ્તાર તરફ જઈ રહી હતી. પછી અચાનક તે કારે લોકોને કચડી નાખ્યા. જણાવવામાં આવી રહ્યું છે કે કારની ટક્કર એટલી ઝડપી હતી કે કેટલાક લોકો હવામાં ઉછળીને કેટલાય ફૂટ દૂર પડી ગયા હતા.