સુરતમાં શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો રાજ્યકક્ષાના શિક્ષણમંત્રીના હસ્તે શુભારંભ કરાયો
ગુજરાત રાજ્યના સુરતમાં શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો શુભારંભ કરાવવામાં આવ્યો છે.જેમાં અડાજણના રામનગર ઝૂલેલાલ મંદિરની સામે અન્નપૂર્ણા યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો છે.જેમાં ગરીબોને રૂ.5માં ભોજન આપવામાં આવી રહ્યું છે.આમ શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો શુભારંભ સુરતના જુલેલાલ મંદિર સામે રામનગર ખાતે રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસેરીયાના હસ્તે કરવામાં આવ્યો હતો.જે કોરોના મહામારીમાં આ યોજના બંધ થઈ હતી,પરંતુ વર્તમાનમાં ફરીથી રાજ્યકક્ષાના શિક્ષણમંત્રીના હસ્તે આ યોજનાનો પ્રારંભ કરાવવામાં આવ્યો છે.શ્રમિક અન્નપૂર્ણા યોજનાની સાથે રામનગર ખાતે ઇ-શ્રમ કાર્ડ નોંધણી કેમ્પ અને ધનવંતરી રથ દ્વારા લોકોના આરોગ્યની પણ તપાસ કરવામાં આવી હતી.આમ આ યોજના ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ દ્વારા ચલાવવામાં આવી રહી છે.